89 - Al-Fajr ()

|

(1) ૧) કસમ છે ફજરના સમયની,

(2) ૨) અને દસ રાતોની

(3) ૩) અને યુગ્મ અને વિષમની

(4) ૪) અને રાતની, જ્યારે તે જવા લાગે.

(5) ૫) એક બુધ્ધિશાળી વ્યક્તિને (યકીન અપાવવા) માટે આટલી કસમો પુરતી નથી ?

(6) ૬) શું તમે જોયું નથી કે તમારા પાલનહારે આદની સાથે કેવો વર્તાવ કર્યો ?

(7) ૭) સ્તંભોવાળા ઇરમની સાથે.

(8) ૮) જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી.

(9) ૯) અને ષમૂદવાળા સાથે (કેવો વર્તાવ કર્યો), જે લોકોએ વાદીમાં પથ્થરો કોતર્યા હતા.

(10) ૧૦) અને ફિરઔન સાથે, જે ખુંટાવાળો હતો.

(11) ૧૧) આ તે લોકો હતા, જે લોકોએ શહેરોમાં વિદ્રોહ કર્યો હતો.

(12) ૧૨) અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો.

(13) ૧૩) છેવટે તારા પાલનહારે તેમના પર અઝાબનો કોરડો વરસાવી દીધો.

(14) ૧૪) હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે.

(15) ૧૫) પરતું મનુષ્ય સ્થિતિ એવી હોય છે કે જયારે તેનો પાલનહાર તેને અજમાયશમાં નાખે છે અને તેને ઇઝઝત તેમજ નેઅમતો આપે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ સન્માન કર્યું.

(16) ૧૬) અને જ્યારે તેને અજમાયશમાં અનાખી, તેની રોજી તંગ કરી દે છે, તો તે કહે છે કે મારા પાલનહારે મારુ અપમાન કર્યું.

(17) ૧૭) (આવું કરવું યોગ્ય નથી) પરંતુ (વાત એવી છે) કે તમે જ અનાથનો આદર નથી કરતા.

(18) ૧૮) અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી.

(19) ૧૯) અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો.

(20) ૨૦) અને માલથી ખુબ પ્રેમ કરો છો.

(21) ૨૧) કદાપિ નહીં, જ્યારે ધરતી ચૂરે ચૂરા કરીને બરાબર કરી દેવામાં આવશે.

(22) ૨૨) અને તમારો પાલનહાર અને કતારબંધ ફરિશ્તાઓ (હશ્રના મેદાનમાં) આવશે.

(23) ૨૩) અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે, તે સમયે માનવે નસીહત તો કબુલ કરશે, પરતું તે દિવસે નસીહત કબુલ કરવું તેને કઈ ફાયદો નહિ પહોચાડે.

(24) ૨૪) અને તે કહેશે કે કાશ ! મેં પોતાના આ જીવન માટે કંઇ આગળ મોકલ્યું હોત.

(25) ૨૫) બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય.

(26) ૨૬) અને જે રીતે પકડી શકે છે, તેના જેવી પકડ કોઈ નથી કરી શકતું.

(27) ૨૭) ઓ સંતોષી જીવ

(28) ૨૮) તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન હોય.

(29) ૨૯) બસ મારા નેક બંદાઓ સાથે થઇ જા.

(30) ૩૦) અને મારી જન્નતમાં દાખલ થઇ જા.