99 - Az-Zalzala ()

|

(1) ૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

(2) ૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

(3) ૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે ?

(4) ૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

(5) ૫) એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.

(6) ૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

(7) ૭) બસ ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

(8) ૮) અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.